Amar Pravas Nibandho
₹250.00અમર પ્રવાસનિબંધો `જીવ્યા કરતાં જોયું ભલું' એ કહેવત જ પ્રવાસનું મહત્ત્વ સમજવા માટે પૂરતી છે! તમને શબ્દની આંખો અને કલ્પનાની પાંખો પહેરાવી તમારા ઘરમાં બેઠાં બેઠાં દુનિયાભરની સફર કરાવવાનો કીમિયો એકમાત્ર પ્રવાસસાહિત્ય પાસે છે. તમે કોઈપણ પ્રવાસનિબંધ કે પ્રવાસકથા વાંચશો તો તમને એવું લાગ્યા કરશે કે તમે એ સ્થળની પ્રત્યક્ષ... read more
Category: Gujarati Sahitya No Amar Varso
Category: Travelogue
Bole Zina Mor
₹220.00બોલે ઝીણા મોર વિષયો અને રજૂઆતમાં વૈવિધ્ય ધરાવતા નિબંધોનો સંચય છે. બદલાતી ઋતુઓ સાથે તેમાં આપણી આસપાસની પ્રકૃતિનું પ્રસન્નરૃપ છે તો સાથે સાથે કોઈ ફિલ્મ, કવિતા, વાર્તા કે વ્યક્તિવિશેષનો અંતરંગ પરિચય છે. લલિત નિબંધની બાંધેલી પરિભાષાની બહાર નીકળી જવા કરતાં આ નિબંધો વાચકો સાથેની હળવી ગોષ્ઠિ છે.
Category: Essays
Devtatma Himalay
₹250.00દેવતાત્મા હિમાલય - ભોળાભાઈ પટેલ કવિકુલગુરુ કાલિદાસે નગાધિરાજ હિમાલયને `દેવતાત્મા' કહ્યો છે. હિમાલયની યાત્રા કરનારને સુંદરતા, ભવ્યતા અને દિવ્યતાનો એક સાથે અનુભવ થાય છે. ગંગોત્રી-યમુનોત્રીના પુણ્યોદકોમાં નિમજ્જનની અને ઉચ્ચોચ્ચ શિખરો પર વિરાજમાન પ્રભુ બદરીવિશાલ અને કેદારનાથનાં દર્શનની અભીપ્સાથી હજારો વર્ષોથી સમગ્ર ભારતના ભાવિકો હિમાલયની યાત્રા કરતા આવ્યા છે. ભોળાભાઈ પટેલ... read more
Category: Travelogue
Kanchanjangha
₹175.00કાંચનજંઘા - ભોળાભાઈ પટેલ `કાંચનજંઘા' આત્મલક્ષી લલિત નિબંધોનો વિશિષ્ટ સંગ્રહ છે. ઘણા નિબંધોની પૃષ્ઠભૂમિમાં નિબંધકારનો શાંતિનિકેતન નિવાસ અને ઇશાન ભારતમાં અસમપ્રદેશનું ભ્રમણ છે. નિબંધોમાં થતું સૌન્દર્ય નિરૂપણ લેખકની નિજી સંવેદનાથી અનુરણિત હોવાથી મર્મસ્પર્શી બને છે; તો બીજી બાજુ `ઘર' અને `રઢિયાળી રાત' જેવા નિબંધ ઘરવતનની ચિરંજીવ માયાનો સંસ્પર્શ ધરાવે છે.
Category: Essays
Mali Matrubhasha Mane Gujarati
₹400.00મળી માતૃભાષા મને ગુજરાતી - ભોળાભાઈ પટેલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સાહિત્યકારો વિશેના લેખો સાથે આ પુસ્તકમાં દેશ અને વિદેશના સાહિત્યની ચર્ચા સંગ્રહીત થયેલી છે. તેમ છતાં સમગ્ર ગ્રંથમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને ઉન્નયનનો આગ્રહ અન્તર્નિહિત છે. એ આગ્રહ કોઈ સાહિત્યકારના અભિનંદન નિમિત્તે કે કોઈ સાહિત્યકારને અપાયેલી અંજલિ રૂપે, કોઈ... read more
Category: Essays