Chandrakant Bakshi
34 Books / Date of Birth:- 20-08-1932 / Date of Death:- 25-03-2006
ચંદ્રકાંત બક્ષી આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને ખૂબ જ લોકપ્રિય લેખક હતા. તેમનો જન્મ પાલનપુર ‍ખાતે થયો હતો. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. 1952માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થયા. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી 1956માં એલ.એલ.બી. અને 1963માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા. કલકત્તામાં તેમણે 12 વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા 'મકાનનાં ભૂત' લખી હતી. તેમનું પ્રથમ 'પુસ્તક પડઘાં ડૂબી ગયા' 1957માં પ્રકાશિત થયું. 1969માં તેઓ મુંબઇમાં સ્થાયી થયા અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના અધ્યાપક તરીકે 1970-80 સુધી તેઓ મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કાર્યરત રહ્યા. તેઓ યુનિવર્સિટીમાં સેનેટના સભ્ય હતા. 1980-82 સુધી તેઓ મુંબઈની એલ.એસ. રાહેજા આર્ટ્સ અને કૉમર્સ કૉલેજના પ્રિન્સિપાલ પદે રહ્યા અને ત્યાંથી નિવૃત્ત થયા. આ પછી તેઓ પૂર્ણ સમયના લેખક/પત્રકાર તરીકે જ સક્રિય રહ્યા. તેઓ વિવિધ સામયિકો અને દૈનિકોમાં લેખ લખતા હતા. 1999માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી. તેમના ચાહકોમાં તેઓ બક્ષી અથવા બક્ષીબાબુના નામથી જાણીતા હતા. જ્યારે તેઓ તેમને ન ગમતાં વ્યક્તિઓ વિશે લખતા ત્યારે તેમનું લખાણ તીક્ષ્ણ અને ભેદક રહેતું. તેમની આત્મકથા 'બક્ષીનામા' ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. આ આત્મકથાનાં કેટલાંક પ્રકરણો તેઓ તેમનાં દુશ્મનના મૃતદેહ પર પેશાબ કરતા હોવાની કલ્પના કારણે પ્રગટ નહોતાં કરવામાં આવ્યાં. 1968માં 'પેરેલિસિસ' નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. 1984માં 'મહાજાતિ ગુજરાતી' માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમણે પાછું આપી દીધું હતું, તેમના મત મુજબ આ ઈનામો યુવા લેખકોને આપવા જોઈએ.
Social Links:-

Showing 1–30 of 34 results