ગુજરાતીમાં વિજ્ઞાન- સાહિત્યનાં પ્રણેતા અને પુરસ્કર્તા તરીકે ડૉ.નગીન મોદી સુપ્રતિષ્ઠિત છે. તેમણે 'પંખ નહિ ઉડ જાવન કી', 'સ્નેહ તર્પણ', 'મારા સપના મારી નિયા', ' નેહા', 'પાંપણે પરોવાયા આંસુ ', 'મૃગજળ ઢૂંઢે હરણા', આ નવલકથાઓ, 'ઘુઘવાટ' અને 'આઇડેન્ટિટી' નામે બે વાર્તાસંગ્રહો આપ્યાં છે. શિક્ષણ ક્ષેત્રે ૩૭ વર્ષ સુધી રસાયણશાસ્ત્રનાં અધ્યાપક રહ્યા બાદ સુરતનો રિજિયોનલ એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપક પદેથી ૧૯૯૩ માં નિવૃત થયા. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એમના પુસ્તકો પુરસ્કૃત થયેલા છે.