રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી તેઓ ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં જોડાયા હતા. ત્યાં 16 વર્ષ સુધી કામ કરીને તેઓ ઍડિટર બન્યા હતા. 2003માં, અમદાવાદથી શરૂ થયેલા ‘દિવ્ય ભાસ્કર’માં તેઓ ઍડિટર તરીકે જોડાયા હતા અને તે પછી વડોદરામાં પણ ‘દિવ્ય ભાસ્કર’ના ઍડિટર બન્યા હતા. 2007માં તેઓ ‘સંદેશ’ દૈનિકના ઍડિટર તરીકે નિમાયા હતા. તેમણે ત્રણ વર્ષ સુધી ‘દિવ્ય ભાસ્કર’ ડિજીટલના ઍડિટર તરીકે પણ કામ કર્યું હતું.તેમણે આ તમામ અખબારોમાં સાંપ્રત પ્રવાહો, સાહિત્ય, સિનેમા, કળા, વિજ્ઞાન અને ફિલૉસૉફી પર નિયમિત લખાણો લખ્યાં છે. ગુજરાતી બેસ્ટસેલર પુસ્તક ‘ઇકિગાઈ’ તેમનું બીજું પુસ્તક છે. અગાઉ, તેમણે ઇઝરાયેલના ઇતિહાસકાર યુવલ નોઆ હરારીના પ્રસિદ્ધ પુસ્તક ‘સેપિયન્સઃ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
Social Links:-
View cart “Shri Radhavatar” has been added to your cart.