જગ્ગી વાસુદેવ એક યોગી, યોગ શિક્ષક અને આધ્યાત્મિક વક્તા છે. તેમના અનુયાયિઓ તેમને 'સદ્ગુરુ' તરીકે સંબોધે છે. તેઓ ઈશા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક માનવ સેવા સંસ્થાના સ્થાપક છે. ઈશા ફાઉન્ડેશન ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, લેબેનાન સિંગાપુર અને ઑસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાં યોગ શીખવે છે તેમજ અનેક સામાજિક અને સામુદાયિક વિકાસ યોજનાઓ પર પણ કામ કરે છે. તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજિક કાઉન્સિલમાં ખાસ સલાહકારની પદવી આપવામાં આવેલ છે. તેમણે ૮ ભાષાઓમાં ૧૦૦થી વધુ પુસ્તકોની રચના કરી છે.
View cart “Sanskrutino Suryoday” has been added to your cart.