Saroj Pathak
4 Books / Date of Birth:- 01-06-1929 / Date of Death:- 16-04-1989
સરોજ પાઠક ‌ (ઉપનામ: વાચા) ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર હતા.તેમનો જન્મ કચ્છ જિલ્લાના જખૌ ગામમાં  રોજ નારણદાસ ઉદ્દેશીને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં થયું. ૧૯૪૭માં તેમણે મૅટ્રિકની પરીક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. તેમજ ૧૯૬૪માં ગુજરાતી વિષયમાં એમ.એ.ની પદવીઓ મેળવી. ૧૯૫૬-૫૭માં તેઓ આકાશવાણી સાથે જોડાયા અને ૧૯૫૭-૫૮માં સોવિયેટ ઈન્ફર્મેશન સર્વિસ સાથે સંલગ્ન હતા. ૧૯૬૪ થી તેઓ બારડોલીની કૉલેજમાં અધ્યાપક રહ્યા હતા. ૧૯૮૯માં બારડોલીમાં તેમનું અવસાન થયું હતું.તેમના પતિ રમણલાલ પાઠકે તેમને તેમની પ્રથમ વાર્તા લખવા માટે પ્રેર્યા હતા અને તેમની પ્રથમ વાર્તા, નહી અંધારુ, નહી અજવાળું જીવનમધુરી સામયિકમાં પ્રકાશિત થઇ હતી. તેમનો પ્રથમ ટૂંકી વાર્તા સંગ્રહ પ્રેમ ઘટા ઝૂક આઈ (૧૯૫૯) ચેતન પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત થયો હતો અને તેને બોમ્બે રાજ્ય તરફથી ઇનામ મળ્યું હતું. પ્રીત બંધાણી (૧૯૬૧) તેમના પતિની મદદથી પ્રકાશિત થયું હતું. મારો અસબાબ મારો રાગ (૧૯૬૬) સામાજીક વાર્તાઓ ધરાવે છે. વિરાટ ટપકું (૧૯૬૬) એ તેમને આધુનિક વાર્તાકાર તરીકે પ્રસિદ્ધિ અપાવી. હુકમનો એક્કોતથાસ્તુ (૧૯૭૨) વગેરે તેમના અન્ય વાર્તાસંગ્રહો છે.નાઈટમેર (૧૯૬૯) મનોવૈજ્ઞાનિક નવલકથા અને તેમની પ્રથમ નવલકથા હતી. નિઃશેષ (૧૯૭૯), પ્રિય પુનમ (૧૯૮૦), ટાઇમ બોમ્બ (૧૯૮૭), લિખિતંગ (૧૯૮૮) એમની અન્ય નવલકથાઓ છે.તેમણે ગુજરાત મિત્રમાં નારી સંસ્કાર કટાર લખી હતી. સંસારિકા (૧૯૬૭) અને અર્વાચીન (૧૯૭૬) તેમના નિબંધ સંગ્રહો છે. પ્રતિપદા (૧૯૬૨) એમનો અનુવાદ છે.તેઓના લગ્ન રમણલાલ પાઠક ૧૯૫૦માં સાથે થયા હતા, જેઓ ગુજરાતી  લેખક હતા.